વડોદરા શહેરમાંથી લાપતા થયેલા 15 વર્ષીય કિશોરને વૃંદાવનમાંથી અકોટા પોલીસે શોધી કાઢ્યો છે. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.જી. મકવાણાએ જણાવ્યું કે, “કિશોર વૃંદાવનમાં હોવાની બાતમી મળતા અમે ટીમને રવાના કરી હતી.” શહેરની અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આવેલા શ્રીનાથજી મંદિરના પૂજારીનો આ પુત્ર છેલ્લા 8 દિવસથી લાપતા હતો. કિશોર લાપતા થતા તેની માતાએ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.
short by
Dipak Vyas /
09:31 pm on
25 Apr