For the best experience use Mini app app on your smartphone
વડોદરા શહેરમાંથી લાપતા થયેલા 15 વર્ષીય કિશોરને વૃંદાવનમાંથી અકોટા પોલીસે શોધી કાઢ્યો છે. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.જી. મકવાણાએ જણાવ્યું કે, “કિશોર વૃંદાવનમાં હોવાની બાતમી મળતા અમે ટીમને રવાના કરી હતી.” શહેરની અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આવેલા શ્રીનાથજી મંદિરના પૂજારીનો આ પુત્ર છેલ્લા 8 દિવસથી લાપતા હતો. કિશોર લાપતા થતા તેની માતાએ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.
short by Dipak Vyas / 09:31 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone