ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીમાં પૂર આવતા નવસારી શહેરમાં નીચાણવાળા ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ મકાનો અને મંદિરોમાં પાણી ઘૂસ્યા છે, જેથી 1,000થી વધુ લોકો અસર થઇ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી કેટલાક લોકોને સ્થળાંતર કરી ગર્લ્સ હાઇસ્કૂલમાં સુરક્ષિત સ્થળે મોકલાયા છે. શહેરના રામજી મંદિરમાં 1,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ, જેની કલેકટર અને પાલિકા કમિશનરે મુલાકાત લીધી છે.
short by
કલ્પેશ કુમાર /
11:04 pm on
06 Jul