For the best experience use Mini app app on your smartphone
અમદાવાદના વેજલપુરની સગીરા સાથે અજાણ્યા યુવકે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી અનેક વખત દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો છે. શખ્સ સગીરાના બિભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી શહેરની હોટલોમાં શારીરિક સંબંધ બાંધતો હતો. ઉપરાંત સગીરાને વીડિયો કોલ કરીને કપડાં ઉતારવા માટે પણ મજબૂર કરતો હતો. લાંબા સમયથી ગૂમસુમ રહેતી સગીરાની પરિવારજનોએ પૂછપરછ કરતાં મામલો સામે આવ્યો છે.
short by સુલતાન ભુસારા / 11:16 am on 09 Oct
કેન્સર સર્જન ડૉ. જયેશ શર્માએ 'ગેસ સ્ટવ પર શેકેલી રોટલી કેન્સરનું કારણ બની શકે છે?' આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, "લોકો કહે છે કે ગેસની ફ્લેમ પર શેકેલી રોટલીમાં ગેસ આવી જાય છે... એવું કંઈ નથી. ગેસ રોટલીમાં પ્રવેશી શકતો નથી... ગેસ પહેલેથી જ બળી ગયો હોય છે... બાકીનો ગેસ ઉડી થઈ જાય છે."
short by અર્પિતા શાહ / 08:07 am on 09 Oct
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ઇઝરાયલ અને હમાસ શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર સંમત થયા છે. ટ્રમ્પે કહ્યું કે, આનો અર્થ એ છે કે બધા બંધકોને ખૂબ જ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયલી દળો ચોક્કસ સીમા સુધી પાછા હટી જશે. આ સ્થાયી શાંતિ તરફનું પહેલું પગલું છે.
short by અર્પિતા શાહ / 08:37 am on 09 Oct
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇઝરાયલ-હમાસ કરારની જાહેરાત કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના કરારનું સ્વાગત કરીએ છીએ." પીએમ મોદીએ કહ્યું, "અમને આશા છે કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય... કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે."
short by અર્પિતા શાહ / 11:15 am on 09 Oct
"ભજન માર્ગ ઓફિશિયલ" દ્વારા મંગળવારે શેર કરાયેલા એક વીડિયોમાં વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજની આંખોમાં સોજો અને લાલ ચહેરો દેખાય છે, જે બાદ તેમના સ્વાસ્થ્ય અંગે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, પ્રેમાનંદ મહારાજ દરરોજ ડાયાલિસિસ કરાવી રહ્યા છે. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને કારણે તેમની પદયાત્રા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
short by ગૌતમ રાઠોડ / 10:22 pm on 08 Oct
સંત પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ વચ્ચે આશ્રમે બુધવારે રાત્રે તેમનું હેલ્થ અપડેટ જાહેર કર્યું છે. આશ્રમે જણાવ્યું કે, "પ્રેમાનંદ મહારાજની તબિયત સારી છે...તેઓ રાબેતા મુજબ પોતાની દિનચર્યામાં છે...કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો." મથુરા પોલીસે પણ કહ્યું છે કે, પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્ય અંગે ખોટી અને પાયાવિહોણી અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
short by ગૌતમ રાઠોડ / 09:08 am on 09 Oct
ગુરુવારે, 9 ઓક્ટોબરના રોજ સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ભડકો જોવા મળ્યો. બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,26,600 પર ટ્રેડ કરી રહ્યું હતું. રિપોર્ટ મુજબ, દિવાળીના તહેવારોમાં હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતાં છે. આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,23,990 રહ્યો છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક મહિનાઓમાં સોના અને ચાંદીના ભાવમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.
short by અર્પિતા શાહ / 10:16 am on 09 Oct
ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. 9 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. 10 ઓક્ટોબરે 8 જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. જો કે, બે- ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે.
short by અર્પિતા શાહ / 08:29 am on 09 Oct
અસારવા ઉદયપુર ટ્રેનમાં જનરલ ચેકિંગ દરમિયાન રેલવે પોલીસને ₹25 લાખની બિનવારસી રોકડ મળી આવી છે. પોલીસને બિનવારસી થેલામાંથી ₹500ની ચલણી નોટોના પાંચ બંડલ મળી આવ્યા છે. આ તમામ બંડલો પર યુનિયન બેંક જયપુરનો માર્કો લગાવેલો છે. રેલવે પોલીસે આ રોકડ મૂળ માલિકને પરત આપવા માટે હિંમતનગર સહિત અમદાવાદ ડિવિઝનને જાણ કરી છે.
short by ગૌતમ રાઠોડ / 10:15 pm on 08 Oct
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.
short by અર્પિતા શાહ / 10:17 am on 09 Oct
સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે ચા નાશ્તાને લઈ માથાકૂટ થઈ હતી. જે બાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો મારી દીધો હતો. આ ઘટના અંગે શહેર પ્રમુખ પરેશ પટેલે કહ્યું કે, બંને જણાને નોટીસ આપવામાં આવી છે.
short by ગૌતમ રાઠોડ / 10:22 pm on 08 Oct
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મંગળવારે ફરી એકવાર વેદાંત લિમિટેડના ડિમર્જર પ્રસ્તાવ પર સુનાવણી 29 ઓક્ટોબર સુધી ટાળી દીધી છે. અગાઉ NCLTની મુંબઈ બેન્ચે 8 ઓક્ટોબર સુધી સુનાવણી મુલતવી રાખી હતી. નોંધપાત્ર રીતે વેદાંતે તેના ડિમર્જર માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી લંબાવી દીધી છે.
short by / 11:38 am on 09 Oct
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) એ બુધવારે રાત્રે RAS મુખ્ય પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. ઇન્ટરવ્યૂ માટે 2,461 ઉમેદવારોને કામચલાઉ રીતે સફળ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, મુખ્ય પરીક્ષાના પરિણામો પરીક્ષાના લગભગ સાડા ત્રણ મહિના પછી જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો rpsc.rajasthan.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.
short by / 11:40 am on 09 Oct
રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં રાજપારડી થી ઝઘડીયા જતા રોડ ઉપર હનુમાનજી મંદિર પાસેથી ચાર ઇસમોને રૂ. ૧,૦૦૦/- ના દરની ૪૯૮ જુની ચલણી નોટો કી.રૂ. ૪,૯૮,૦૦૦/- સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.
short by News Gujarati / 10:00 am on 09 Oct
બુધવારના 11:15 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરીની ઘટના બની હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.જોકે આ ચોરીની સમગ્ર ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેબ થઈ હતી. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
short by News Gujarati / 10:00 pm on 08 Oct
મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધિ નામના શખસ સામે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ ભુવો લોકોને ભ્રમમાં નાખીને માતાજીની ટેક રખાવતો હોવાની ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી હતી.
short by News Gujarati / 10:00 pm on 08 Oct
અંજાર પી આઈ એ.આર.ગોહિલની સુચના મુજબ અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર તાલુકાના નાગલપર ગામમાં વાડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી હકીકત આધારે કેબલ ચોરીના ભુજના છ આરોપીઓ સાજીદ જાનમામદ મોખા, મામદ હુશેન ખમીશા મોખા, અબ્બાસ ઉર્ફે હનીફ ઉમર મણકા,દડુ ડાળુભાઈ પરમાર,બેચર સારાભાઈ પરમાર અને શોભાબેન ઉર્ફે કાલુ મંગલ અશોકભાઈ પરમાર પાસેથી કુલ 3,42,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
short by News Gujarati / 12:00 am on 09 Oct
ખેડબ્રહ્મા તાલુકાના ગાડું ગામના સરપંચે વિકાસના કાર્યોમાં કથિત ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો સાથે સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા ટીડીઓને રજૂઆત કરાઈ હતી.ગાડું ગૃપ ગ્રામ પંચાયત છે જેમાં ગાડું ઉપરાંત શ્યામનગર,ગાડું વસાહત,ગાડું કંપા અને ગુલાબપુરા નો સમાવેશ થાય છે.આ પંચાયતમાં 15માં નાણાપંચના કામોમાં કથિત ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ સાથે કેટલાક ગ્રામ્યજનોએ મંગળવારે બપોરે 3 વાગ્યા ની આસપાસ ટીડીઓએ લેખિત રજુઆત કરી હતી.
short by News Gujarati / 10:00 am on 09 Oct
રાજપીપળા ગાંધી ચોક ખાતે આવી પહોંચતા માજી સૈનિકોએ મીડિયા સમક્ષ પોતાની માંગણીઓ મૂકવામાં આવી છે. માજી સૈનિકે જણાવ્યું છે કે આ બધું પેપરમાં સમાચાર જોઈ તો મનોબળ તૂટે ભરતીમાં જવાનું ના વિચારે ત્યાં જઈને પછી પાછું આવી ને મારે આવીને આ જ કરવાનું છે. સરકારે અમારા માટે જે નક્કી કર્યું છે તે જ જોઈએ છે અમારે અમારે કે બીજું વધારે નું જોઈતું નથી માજી સૈનિક વઘુ માં શું કહ્યું સાંભળો.
short by News Gujarati / 10:00 pm on 08 Oct
મોરબીના જાંબુડીયા નજીક હાઈવે રોડ ઉપર ટ્રક અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષાને ટ્રકે હડફેટે લેતા સિ.એન.જી. રીક્ષાનો કુચડો બોલી ગયો હતો. આ બનાવ અંગે જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા. તેમજ આ અકસ્માતમાં કેટલા લોકોને ઈજા પહોંચી તે હજું સુધી જાણવા મળેલ નથી. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ રીક્ષા ચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.
short by News Gujarati / 02:00 am on 09 Oct
ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ના વિસાવદર વાળી થશે તેવા સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ મામલો ઘરમાં છે ત્યારે આ બાબતે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે એક કલાકથી પ્રતિક્રિયા આપી હતી
short by News Gujarati / 06:00 am on 09 Oct
ઝઘડીયા તાલુકાના ભાલોદ માછીવાડ વિસ્તારમાં એક મકાનમાં અગમ્ય કારણો સર આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો....
short by News Gujarati / 10:00 pm on 08 Oct
દાહોદ જિલ્લાના રાબડાળ ગામના રહેવાસી ગોહિલ આદિત્ય કુમાર અશોકભાઈ તથા તેમની માતા શકુંતલાબેન અશોકભાઈ ગોહિલનું આજે વહેલી સવારે પાવાગઢ જતા માર્ગે બનેલા ભયાનક અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા હાઇવે પર નૂતન હાઈસ્કૂલ નજીક દાહોદથી વલસાડ જતી સરકારી બસે બાઈકને અડફેટમાં લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ખાસ વાત એ છે કે આજે આદિત્યનો જન્મદિવસ હતો, તે પ્રસંગે તેઓ માતા સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા નીકળ્યા હતાં.
short by News Gujarati / 02:00 am on 09 Oct
નર્મદા જિલ્લામાં હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી જોવા મળી રહે છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અને ગેરહાજરી હોવા છતાં નિરંજન વસાવાની હાજરીમાં અને તેમના સતત ગામડે ગામડે પ્રવાસના કારણે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ તરત જ તેઓ દ્વારા તેમના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે રોજ બે રોજ કોઈકને કોઈ કાર્યક્રમ કરી રહ્યા છે.
short by News Gujarati / 02:00 am on 09 Oct
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર સરકારી ખાતરનું કોમર્શિયલ પેકિંગ કરતા હોવાનો પડદા પાસ કર્યો હતો ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર હેડ ક્વાર્ટર ડીવાયએસપી ડીવાયએસપી પાર્ક પર મારે સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા
short by News Gujarati / 08:00 am on 09 Oct
Load More
For the best experience use inshorts app on your smartphone