For the best experience use Mini app app on your smartphone
ભાવનગરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોમ્પલેક્ષમાં અંદાજે 10થી 12 જેટલી હોસ્પિટલો છે. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગમાં થઈ હતી, જે બાદ આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ. રિપોર્ટ મુજબ, હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા છે. બનાવસ્થળે પહોંચેલી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયુ છે.
short by અર્પિતા શાહ / 11:32 am on 03 Dec
એક સંશોધન મુજબ, વરિયાળીમાં આવશ્યક તેલ હોય છે જે પાચન તંત્રના સ્નાયુઓને આરામ આપે છે અને પીડા ઘટાડે છે. એક મહિના સુધી દરરોજ રાત્રે વરિયાળીનું પાણી પીવાથી બ્લોટિંગની સમસ્યા (પેટનું ફૂલવું) ઓછી થાય છે, ગેસની સમસ્યામાં રાહત મળે છે અને મળની હિલચાલ સુધરે છે. તે હોર્મોનલ સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે.
short by અર્પિતા શાહ / 08:07 am on 03 Dec
વારાણસી (ઉત્તર પ્રદેશ) માં પોલીસે સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્પા સેન્ટર અને ભાજપના નેતાની માલિકીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા અને નવ મહિલાઓ સહિત અંદાજે 13 લોકોની ધરપકડ કરી હતી. 5 પુરુષો અને 4 મહિલાઓ આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી ગુનાહિત સામગ્રી પણ મળી આવી હતી.
short by અર્પિતા શાહ / 11:06 am on 03 Dec
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દાવો કર્યો છે કે દેશના પ્રથમ વડા પ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ જાહેર ભંડોળથી અયોધ્યામાં બાબરી મસ્જિદનું પુનર્નિર્માણ કરવા માંગતા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે નેહરુની આ યોજનાનો વિરોધ કર્યો હતો અને આ જ કારણ છે કે બાબરી મસ્જિદ બની શકી નહીં.
short by અર્પિતા શાહ / 10:05 am on 03 Dec
રાજકોટમાં ક્રિસ્ટલ મોલ ખાતે ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન દરમિયાન ભારે અફરાતફરી સર્જાતા દોડધામ મચી ગઈ. પ્રમોશન ઈવેન્ટ માટે મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને બાળકો અને તેમના માતાપિતા હાજર હતા. આ સમયે ભીડ અચાનક વધી જતા સ્થિતિ બેકાબુ બની હતી. ઘટનામાં અનેક બાળકો નીચે પટકાયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભીડ અને ભાગદોડ જોઈ શકાય છે.
short by અર્પિતા શાહ / 09:12 am on 03 Dec
કચ્છના ભચાઉ પાસે વરસાણા નજીક મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે. મીની ટેમ્પો મજૂર લઈને જતો હતો દરમિયાન નાની ચીરઈ વરસાણા ચોકડી પાસે ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતા હાઇવે પેટ્રોલિંગ તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
short by અર્પિતા શાહ / 10:23 am on 03 Dec
અમદાવાદના ધોળકા તાલુકામાં વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 35 વર્ષીય નરેશભાઈ ડાભી નામના એક યુવકનું મોત નીપજ્યું છે. મંગળવારે સવારે મૃતક પોતાના ગામ મુજપરથી ધોળકા તરફ જઈ રહ્યો હતો, દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા ટેન્કરે ટક્કર મારતા યુવક ટેન્કર નીચે આવી ગયો હતો. ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધોળકા ટાઉન પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
short by અર્પિતા શાહ / 09:34 am on 03 Dec
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.4 ડિગ્રી જ્યારે રાજકોટમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 7 ડિસેમ્બર બાદ હજુ વધુ ઠંડી પડવાની આગાહી છે.
short by અર્પિતા શાહ / 09:06 am on 03 Dec
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે, તેઓ 4-5 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાત દરમિયાન ભારત સાથે વેપાર અને આયાત પર વિગતવાર ચર્ચા કરશે. પુતિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલના સંયુક્ત ઉત્પાદન, વધારાની S-400 સિસ્ટમ્સ, Su-57 ફાઇટર જેટ અને નાના પરમાણુ રિએક્ટર જેવી અદ્યતન તકનીકો પર સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપેક્ષા છે.
short by / 11:54 am on 03 Dec
સરકારી માલિકીની હિન્દુસ્તાન કોપર કંપનીએ NTPC માઇનિંગ સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે NTPCની પેટાકંપની છે, જે બુધવારે કંપનીના શેરને ફોકસમાં રાખી શકે છે. આ કરાર તાંબા અને મહત્વપૂર્ણ ખનિજોના વિકાસ માટે છે, જેનો ઉદ્દેશ્ય બંને કંપનીઓની ક્ષમતાઓને જોડીને ખનિજ સંશોધન, ખાણકામ અને પ્રક્રિયાને વેગ આપવાનો છે.
short by / 11:41 am on 03 Dec
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલીએ જણાવ્યું કે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે પુષ્ટિ આપી છે કે તે વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેશે. રોહન જેટલીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તે કેટલી મેચ રમશે." કોહલી 2010 પછી પહેલી વાર 24 ડિસેમ્બરથી શરૂ થતી ટુર્નામેન્ટમાં જોવા મળશે.
short by / 11:44 am on 03 Dec
મોરબીમાં છેલ્લા બે વર્ષથી કાનૂની વિવાદમાં રહેલી ગેરકાયદેસર દરગાહને આજે તોડી પાડવામાં આવી છે. આ દરગાહ શહેરના ઐતિહાસિક અને પ્રખ્યાત મણિ મંદિર પાસે આવેલી હતી જેમાં લાંબા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી બાદ તંત્ર દ્વારા દરગાહની કાયદેસરતા (વૈધતા) અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરી તોડી પાડવામાં આવી છે.
short by News Gujarati / 10:00 pm on 02 Dec
ભરતનગર નવા બે માળિયામાં બે વર્ષનો બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી.બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તારમાં બે વર્ષનો બાળક રુદ્રાન્સ રાજુભાઈ પરમાર કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી ગયું હતું, જેના કારણે બાળકનું મોત થયું, જોકે બાળકના મોત અંગે પરિવારજનોને શંકા ઊભી થતા પરિવારજનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
short by News Gujarati / 02:00 am on 03 Dec
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના ૧૦૦% ડેમ ભરાય ગયેલ છે. ડેમનો ૧.દરવજો...૦.૫ ફુટ ખોલવમાં આવેલ છે.
short by News Gujarati / 08:00 am on 03 Dec
માંડાવડ ગામ પાસે ટુ વ્હીલ ચાલકોનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા બે બાઈક ચાલકો સામસામે અથડાયા બંનેને બાઈક સવારને ગંભીર ઈજા વિસાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સ્થળના ડોક્ટર દ્વારા બંને વ્યક્તિઓને સારવાર કરી જુનાગઢ રીફર કરી દીધેલ હતા જેમાં મેહુલ રમેશભાઈ જેઠવા ઉંમર વર્ષ 40 રહેવાસી વિસાવદર અને સ્મિત રમેશભાઈ બોરડ ઉંમર વર્ષ 18 રહેવાસી મોણીયા બંને બાઈક સવારોને ગંભીર ઈજા થતાં બંને વ્યક્તિઓને જુનાગઢ રીફર કરેલ
short by News Gujarati / 10:00 pm on 02 Dec
મોરબીમાં મણીમંદિર પરિસરમાં આવેલ દરગાહનું દબાણ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. વધુમાં ખોટી અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ જાહેર કરવામાં આવી છે.
short by News Gujarati / 12:00 am on 03 Dec
સાવરકુંડલાથી કતલખાને લઈ જવામાં આવતી મૂગા પશુઓ ભરેલી ટ્રક ઝડપાઇ.કતલખાને જતી હોવાની માહિતી પર ગૌપ્રેમીઓએ પકડી ભેંસો ભરેલી ટ્રક.લાઠી રોડ બાયપાસ પર ગૌપ્રેમીઓએ ટ્રક રોકી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો.ટ્રકમાં કુલ 11 ભેંસો ભરેલી અને તેમને ભરૂચ ખાતેના કતલખાને લઈ જવામાં આવતી હોવાની માહિતી.
short by News Gujarati / 08:00 am on 03 Dec
મોરબીમાં જલારામ પાર્ક અને અમૃતપાર્ક વચ્ચેથી ઇકો કાર પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઇકોના ચાલકે કારને મારી મૂકી હતી અને આગળ જઈને કાર છોડીને વાહન ચાલાક નાસી છૂટ્યો હતો જેથી પોલીસે કાર ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 852 બોટલો મળી આવી હતી જેથી દારૂ, મોબાઈલ અને કાર મળીને 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીને પકડ્યા છે
short by News Gujarati / 10:00 pm on 02 Dec
ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ નજીક નર્મદા કેનાલમાં 26 નવેમ્બરના રોજ પીતા પુત્ર એક સાથે છલાંગ લગાવીને જીવન ટૂંકાવવાની આશંકાને લઈને છેલ્લા છ દિવસ વીતવા છતાં હજી સુધી કોઈ સંભાળ ન મળતા સસરા એ આપી પ્રતિક્રિયા
short by News Gujarati / 10:00 pm on 02 Dec
સુરેન્દ્રનગર ડીવાયએસપી બીબી જાડેજા ની બદલી તથા તેમની જગ્યાએ નવા ASP સુશ્રી વેદિકા બિહાની ની નિમણૂક કરવામાં આવી તેવો 2023 ના આઇપીએસ અધિકારીની તાલીમ પૂર્ણ કરી તેઓની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે
short by News Gujarati / 02:00 am on 03 Dec
ઠાસરા તાલુકાના ઉધમપુરામાં દીપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો ઇજાગ્રસ્તોની તાત્કાલિક 108 માર પતિ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા વન વિભાગ દોડતું થયું હતું અને દીપડાની પકડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
short by News Gujarati / 02:00 am on 03 Dec
માંગરોળ તાલુકાના જુના કોસંબા જકાતનાકા પાસે સર્કલ બનાવી સ્પીડ બ્રેકર દિશા સૂચક બોર્ડ અને લાઈટો મૂકવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ગતરોજ ઉપરોક્ત સ્થળે ભારે વાહનો ના કારણે એક યુવકનું મોત થયું હતું જેથી સ્થાનિકો દ્વારા ઉપરોક્ત સ્થળે તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માંગણી સલીમ શાહ મામુ અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અયાઝ મલેક દ્વારા કરવામાં આવી છે
short by News Gujarati / 10:00 am on 03 Dec
નર્મદા પરિક્રમાએ માટે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે.નર્મદા નદીની પરિક્રમા અત્યંત કઠિન માનવામાં આવે છે.ત્યારે દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે.દાદા ગુરુ છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા નદીનાં જળ પર નિર્ભર રહી પોતાની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે ચોથી વખત તેઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.જેઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી પણ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.
short by News Gujarati / 10:00 am on 03 Dec
સાબરકાંઠા પોલીસ બેડામાં ફરી એકવાર બદલીઓનો ધમ ધમાલ થયો છે અને જિલ્લા પોલીસ વડાએ 18 પીએસઆઇની બદલ્યો કરી દીધી છે અંગ એક કલાકે મળતી વિગતો અનુસાર ઈડર પીએસઆઇ આર જે જાડેજા ને એલસીબીમા, વડાલી પીએસઆઇ આર કે જોશીને એલસીબી માં ઇડર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.પી.એમ ઝાલા ને લીવ રિઝર્વ એટેચ એસ ઓ જી માં, તલોદ પીએસઆઇ બીએન તરલની સાઇબર ક્રાઇમ માં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બીએલ રાયજાદા ને તલોદમાં એબી સપીયાને સાઇબર ક્રાઈમ માં, એ ટી ચૌધરીને ચિઠોડા થી ઈડરમાં
short by News Gujarati / 10:00 pm on 02 Dec
દોડધામ થતા દીપડા એ કર્યો 4 લોકો પર હુમલો.ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા.હાલ પણ લોકોના ટોળેટોળા દીપડાને પકડવા કરી રહ્યા છે જહેમત.વન વિભાગ ને જાણ થતાં વિભાગ પણ થયું દોડતું. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સીમ વિસ્તારમાં મુકાયું પાંજરું
short by News Gujarati / 08:00 am on 03 Dec
Load More
For the best experience use inshorts app on your smartphone