For the best experience use Mini app app on your smartphone
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ભારતમાં શહાના ગોસ્વામીની ફિલ્મ 'સંતોષ'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, CBFC એ ઇસ્લામોફોબિયા, સ્ત્રીઓ પ્રત્યે હિંસા અને પોલીસને હિંસક રૂપે બતાવવાના કારણે ફિલ્મ પર પ્રતિબંધ લગાવાયો છે. આ ફિલ્મને ઓસ્કાર 2025 માટે યુકે તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.
short by ગૌતમ રાઠોડ / 05:54 pm on 26 Mar
કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું, "પહેલા હું કહેતો હતો કે અમારું હાઇવે નેટવર્ક અમેરિકા જેવું થશે. પરંતુ હવે કહું છું કે આગામી બે વર્ષમાં આપણું હાઇવે નેટવર્ક અમેરિકા કરતા પણ સારું થશે." તેમણે કહ્યું, મને નથી લાગતું કે રોડ ક્ષેત્રમાં કોઈ સમસ્યા હોય. આ વર્ષે અને આગામી વર્ષે રોડ નેટવર્કમાં મહત્વપૂર્ણ બદલાવ થવાના છે. 
short by ગૌતમ રાઠોડ / 06:54 pm on 26 Mar
અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડે તેમના નાગરિકોને આસામ અને પૂર્વોત્તર રાજ્યોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કાયદો અને વ્યવસ્થાના કારણે આ બધા દેશોએ આ પ્રતિબંધ લગાવ્યો છે. આસામના પ્રવાસન મંત્રી રણજીત કુમાર દાસે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે રાજ્ય સરકાર પ્રતિબંધ હટાવવા માટે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
short by દિપક વ્યાસ / 07:30 pm on 26 Mar
વડોદરામાં ડેસરના રાજુપુરા ગામે આવેલી કસ્તુરબા કન્યા છાત્રાલયમાં વોચમેન તરીકે ફરજ બજાવતી મહિલાની કુહાડીના ઘા મારીને હત્યા કરાઇ. હત્યાની ઘટના બાદ આ છાત્રાલયમાં જ ફરજ બજાવતો પુરુષ વોચમેન રંગીત રાવળ ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
short by કલ્પેશ કુમાર / 05:49 pm on 26 Mar
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાંથી AMC ફૂડ વિભાગે 508 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદની સતનામ ડેરીમાંથી 144 કિલો, વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી 119 કિલો, કૃષ્ણા ડેરીમાંથી 119 કિલો અને રિચ આઈસ્ક્રીમ ડેરીમાંથી 35 કિલો પનીર જપ્ત કરાયું છે. આ ડુપ્લીકેટ પનીર હોટલો અને રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
short by ગૌતમ રાઠોડ / 06:25 pm on 26 Mar
વડોદરાના નવાયાર્ડમાં નર્સિંગનો અભ્યાસ કરતા 19 વર્ષીય શ્રેય ડાભી નામના વિધાર્થીએ પેટની બીમારીથી કંટાળીને અંતિમ ચિઠી લખી આત્મહત્યા કરી છે. વિધાર્થીએ અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું, "મમ્મી પપ્પા ખુશ રહેજો, તમે કોઈને દોષ ન આપતા, આ પગલું મેં મારી બીમારીને કારણે ભર્યું છે અને આ માટે કોઈ જવાબદાર નથી." પોલીસે અંતિમ ચિઠ્ઠી કબ્જે લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
short by કલ્પેશ કુમાર / 07:24 pm on 26 Mar
અમદાવાદમાં આર્મીના કેન્ટિન સ્ટોર ડિપાર્ટમેન્ટ પાસે સાબરમતી નદીના કિનારે આવેલા આવા વૉટર પ્લાન્ટના પાર્કિંગમાંથી પોલીસને બિનવારસી વિદેશી દારૂ મળ્યો છે. ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી 107 બોટલ-ટીન એરપોર્ટ પોલીસે જપ્ત કર્યાં છે. આ ટ્રક છેલ્લા ત્રણ દિવસથી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.
short by દિપક વ્યાસ / 06:48 pm on 26 Mar
અમદાવાદ શહેરના આંબાવાડી સર્કલ નજીક એક યુવકને કેટલાંક શખ્સો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો. યુવકને માર મારતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ભોગ બનનાર યુવકનું નામ નિહાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે, જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નિહાર પર હુમલો કરનારની ઓળખ સૌરભ દેસાઇ, વિજય દેસાઇ અને ધવલ દેસાઇ તરીકે થઇ છે.
short by દિપક વ્યાસ / 07:16 pm on 26 Mar
રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં જાહેરાત કરી કે, તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે ₹3 કરોડની ગ્રાન્ટ મળી રહી છે તેને વધારીને ₹5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ગ્રાન્ટ પ્રતિ વર્ષ મળતી હોય છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે ₹2-₹2 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.
short by દિપક વ્યાસ / 05:27 pm on 26 Mar
સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીનો વીડિયો વાઇરલ થયો, જેમાં તેઓએ કહ્યું, દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામી સમક્ષ પ્રગટ થયા અને સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા હતા. વીડિયોમાં સ્વામીએ કહ્યું, “મહારાજ કહે છે જ્યારે અમે દ્વારકા ગયા ત્યારે દ્વારકાપતિએ વડતાલમાં વિશાળ મંદિર બનાવવાની પ્રાર્થના કરી હતી. 59 સેકન્ડના આ વાઇરલ વીડિયોને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે.
short by કલ્પેશ કુમાર / 06:48 pm on 26 Mar
એક સરકારી આદેશમાં ખુલાસો થયો છે કે, ભારતના ટેક્સ સત્તાવાળાઓએ સેમસંગ અને તેના અધિકારીઓને મુખ્ય ટેલિકોમ ઉપકરણોની આયાત પર ડ્યુટી ચોરી કરવા બદલ $601 મિલિયન (લગભગ ₹5,150 કરોડ) ના ટેક્સ અને દંડ પરત કરવાનો આદેશ આપ્યો છે. જેના પર કંપનીએ કહ્યું, "અમે અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ."
short by / 06:37 pm on 26 Mar
ઝારખંડના હજારીબાગમાં મંગળવારે રાત્રે રામ નવમી પર્વ નિમિત્તે કાઢવામાં આવેલી મંગળા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો. પોલીસના જણાવ્યા અનુસાર, શોભાયાત્રા દરમિયાન ડીજે પર સાંપ્રદાયિક ગીતો વગાડવાને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જેના પગલે વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.
short by / 06:53 pm on 26 Mar
કેન્દ્ર સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) હેઠળ મધ્યમ (5-7 વર્ષ) અને લાંબા ગાળાના (12-15 વર્ષ) સરકારી થાપણો (MLTGD) તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી છે. સરકારે આ નિર્ણય GMSના પ્રદર્શન અને બદલાતી બજારની પરિસ્થિતિઓના આધારે લીધો છે. જોકે, 1થી 3 વર્ષની ટૂંકા ગાળાની GMS યોજના ચાલુ રહેશે.
short by / 06:57 pm on 26 Mar
ઉત્તર પ્રદેશના આગ્રાથી ઉડાન ભર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિમાનમાં બુધવારે ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અહેવાલો અનુસાર, વિમાનને ટેકઓફ કર્યાના 20 મિનિટ પછી ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ પછી, મુખ્યમંત્રી બીજા વિમાન દ્વારા લખનૌ જવા રવાના થયા હતા.
short by / 07:50 pm on 26 Mar
યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા 37 લોકોમાંથી 35 લોકોના આશ્રિતોને ₹25-₹25 લાખનું વળતર આપવામાં આવ્યું છે. મહાકુંભના X હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, એક મૃતકની ઓળખ ન થઈ શકી હોવાથી અને એક મૃતક લાવારિસ હોવાથી વળતરની રકમ આપી ન શકાય.
short by / 05:32 pm on 26 Mar
સપા સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગાને 'ગદ્દાર' ગણાવ્યા બાદ થયેલા વિવાદને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે એક નિવેદન બહાર પાડ્યું છે. અખિલેશ યાદવે X પર લખ્યું, "સમાજવાદી પાર્ટી... રાણા સાંગાની બહાદુરી અને દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહી નથી... અમારા સાંસદે ફક્ત એકતરફી ઇતિહાસ અને... એકતરફી અર્થઘટનનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો."
short by / 05:54 pm on 26 Mar
અભિનેતા નાગા ચૈતન્યએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરતાં કહ્યું, “પત્ની શોભિતા ધુલિપાલા ઝઘડા પછી ક્યારેય માફી નથી માંગતી.” જેનું કારણ સમજાવતા નાગા ચૈતન્યએ આગળ કહ્યું, “શોભિતા સોરી અને થેંક્યૂમાં માનતી નથી. આ ઇન્ટરવ્યુ દરમિયાન, નાગા ચૈતન્ય સાથે હાજર રહેલી શોભિતાએ કહ્યું, "પ્રેમમાં નો સોરી, નો થેંક્યૂ.”
short by / 06:04 pm on 26 Mar
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિક 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી'ની પહેલી ઝલક સામે આવી છે. ફિલ્મના મોશન પોસ્ટરમાં અભિનેતા અનંત જોશી ભગવા રંગના કપડાંમાં જોઈ શકાય છે. આ મોશન પોસ્ટરમાં યોગી આદિત્યનાથના જીવનની સફર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ બની રહી છે.
short by / 06:13 pm on 26 Mar
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને રોકડ રકમની વસૂલાતના મામલે FIR નોંધવાનો નિર્દેશ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. એટર્ની મેથ્યુઝ જે. નેદુમ્પારાએ કોર્ટને જણાવ્યું હતું કે, આ જાહેર હિતનો મામલો છે, જેના પર કોર્ટે નેદુમ્પારાને કોઈપણ જાહેર નિવેદનો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.
short by / 07:04 pm on 26 Mar
સંભલના CO અનુજ ચૌધરીએ શાંતિ સમિતિની બેઠકમાં કહ્યું, "જો તમારે ઈદના સેવિયા ખવડાવવા હોય તો... તો તમારે હોળીના ગુજિયા પણ ખાવા પડશે... એક પક્ષ ખાવા માટે તૈયાર છે, બીજી પક્ષ નથી... તો ભાઈચારો અહીં સમાપ્ત થાય છે." ‘રંગોથી સમસ્યા છે અને ધર...'વાળા નિવેદન પર તેમણે આગળ કહ્યું, "લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા... તેઓ મને સજા કરાવતે."
short by / 07:35 pm on 26 Mar
આસામ ગુવાહાટીમાં રમાય રહેલી IPL 2025ની મેચમાં KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને RR સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. KKRની પ્લેઇંગ ઇલેવનમાં સુનીલ નારાયણની જગ્યાએ મોઈન અલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન, RR સ્પિનર ​​વાનિન્દુ હસરંગા ફઝલહક ફારૂકીની જગ્યાએ રમી રહ્યા છે. KKR અને RR બંને IPL 2025માં પોતપોતાની શરૂઆતની મેચ હારી ગયા છે.
short by / 07:45 pm on 26 Mar
દિલ્હી હાઈકોર્ટે હની સિંહના ગીત 'મેનિયાક'માં મહિલાઓને સેક્સ્યુઅલ ઓબ્જેક્ટ તરીકે બતાવવા અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવાના આરોપવાળી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારના વકીલ દ્વારા 'ભોજપુરી અશ્લીલતા' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, "અશ્લીલતાનો કોઈ ઈલાકો નથી હોતો."
short by / 07:25 pm on 26 Mar
અભિનેતા શાહરૂખ ખાને બોલિવૂડમાં 33 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ સમયગાળા દરમિયાન તેમણે 90થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. દુબઈના એક વિસ્તારનું નામ શાહરૂખ ખાનના નામ પરથી 'એસઆરકે બુલવર્ડ' રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ 'દીવાના' 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી.
short by / 07:40 pm on 26 Mar
સિંગર સોનુ નિગમે રવિવારે દિલ્હીમાં તેમના લાઇવ કોન્સર્ટ દરમિયાન પથ્થરમારો અને બોટલો ફેંકાયાના અહેવાલોને નકારી કાઢ્યા છે. સોનુ નિગમે કહ્યું, "એવું કંઈ થયું નથી... કોઈએ સ્ટેજ પર વેપ ફેંકી જે શુભાંકરની છાતીમાં વાગી." તેમણે આગળ કહ્યું, "મેં શો બંધ કરી દીધો અને વિનંતી કરી... જો આવું કંઈક ફરી થશે તો શો બંધ કરવો પડશે."
short by / 05:21 pm on 26 Mar
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખેડૂતોને મોટી રાહત મળી છે. લિંબાળી સિંચાઈ યોજના હેઠળ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પગલાથી આસપાસના 20 ગામોના ખેડૂતોને ફાયદો થશે.ગઢડાના ખેડૂતોએ સિંચાઈ મંત્રી કુવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતના પગલે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીથી બાજરી, જુવાર અને તલ જેવા ઉનાળુ પાકને જીવનદાન મળ્યું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
short by News Gujarati / 06:00 pm on 26 Mar
Load More
For the best experience use inshorts app on your smartphone