For the best experience use Mini app app on your smartphone
ગોધરાના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારના એક રહેણાંક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. અહેવાલો મુજબ, આજે સવારે 7 વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા એક સોફામાં આગ ફાટી નીકળી હતી. ઘરમાં ચારેય તરફ કાચ હોવાને કારણે ધુમાડો બહાર ન નીકળ્યો અને ગૂંગળામણને કારણે તેઓના મોત થયા હતા.
short by અર્પિતા શાહ / 09:48 am on 21 Nov
'ઓન્લીમાયહેલ્થ' અનુસાર, ત્વચારોગ વિજ્ઞાની ડૉ. ઇશિતા રાકા કહે છે કે, જો આખો પરિવાર સ્નાન કરતી વખતે એક જ સાબુનો ઉપયોગ કરે છે, તો પરિવારના સભ્યો ફંગલ ચેપ, વાયરલ ચેપ અને એલર્જીનો ભોગ બની શકે છે. ડૉક્ટરના મતે, નાના બાળકો માટેનો સાબુ ત્વચાને અનુકૂળ હોવો જોઈએ અને વૃદ્ધોએ કઠણ સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ.
short by અર્પિતા શાહ / 08:03 am on 21 Nov
મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટના આરોપી ડો. ઉમરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા દર્દીઓને હિજાબ પહેરવા અંગે કથિત રીતે પૂછપરછ કરી હતી. અહેવાલ મુજબ, તેમણે દર્દીઓને પૂછ્યું, "તમે માથું સરખી રીકે કેમ ઢાંક્યું નથી?...તમે કેટલી વાર નમાઝ પઢો છો?"
short by ગૌતમ રાઠોડ / 09:16 pm on 20 Nov
અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે એક નિવેદનમાં કહ્યું, "તાત્કાલિક મદરેસાઓ પર બુલડોઝર ચલાવો. બધી મસ્જિદોમાં સીસીટીવી કેમેરા લગાવો...મંદિરોમાં પણ લગાવી દો" તેમણે ઉમેર્યું, "મદરેસામાં શું શીખવવામાં આવે છે...તમારી સામે આવી જશે... અન્યથા, તાત્કાલિક મદરેસામાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રનો અભ્યાસ કરાવો."
short by ગૌતમ રાઠોડ / 10:59 pm on 20 Nov
અહેવાલ મુજબ, દિલ્હી વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમરના નજીકના સહયોગી ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈને હંજુલ્લાહ નામના એક કથિત વિદેશી હેન્ડલરે એન્ક્રિપ્ટેડ એપ્સ મારફતે 42 બોમ્બ બનાવવાના વીડિયો મોકલ્યા હતા. વિસ્ફોટ પહેલા, ફરીદાબાદ (હરિયાણા) આતંકવાદી મોડ્યુલ કેસમાં ધરપકડ કરાયેલા મુઝમ્મિલના ઠેકાણાઓમાંથી 2,500 કિલોથી વધુ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.
short by અર્પિતા શાહ / 09:21 am on 21 Nov
શુક્રવારે સવારે પાકિસ્તાનમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના આંચકા અફઘાનિસ્તાન સુધી અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 135 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. રિપોર્ટ અનુસાર, ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
short by અર્પિતા શાહ / 09:06 am on 21 Nov
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 39 મામલતદારોની એક સાથે બદલી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, કેટલાંક જિલ્લામાં ચાલી રહેલા જમીન કેસ, જાહેર હિતના વિકાસ પ્રોજેક્ટ્સ અને લોકઅરજીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વ્યસ્ત તાલુકાઓમાં અનુભવી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા તાલુકાઓમાંથી વધતી વહીવટી કામગીરી અંગે રાજ્ય સરકારને રજૂઆત મળી રહી હતી.
short by ગૌતમ રાઠોડ / 10:23 pm on 20 Nov
ભારત-પાકિસ્તાનની સીમા પાર કરી કચ્છના ખડીર બેટના રતનપર ગામમાં આવેલા પ્રેમી યુગલને ભચાઉ કોર્ટે ભારતમાં ઘૂસણખોરી કરવાના આરોપમાં જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. બંને પુખ્ત વયના હોવાની પુષ્ટિ થયા બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. તેમના પરિવારોએ તેમના પ્રેમનો વિરોધ કરતા તેઓ સીમા પાર કરી રતનપર ગામ પાસે પહોંચ્યા હતા. જે બાદ 8 ઓક્ટોબરે પોલીસે તેમની ધરપકડ કરી હતી. 
short by ગૌતમ રાઠોડ / 09:37 pm on 20 Nov
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામમાં ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે, ગામમાં દીકરી-દીકરો ભાગે તો તેમના પરિવાર સાથે કોઈ વ્યવહાર કે સંબંધ રાખશે નહીં.  જે કોઈ આ નિયમ તોડે છે અને ભાગી ગયેલા છોકરાના પરિવાર સાથે સંકળાયેલ છે તેને ₹1 લાખનો ભારે દંડ કરવામાં આવશે. ગામમાં દારૂ વેચતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને ₹51,000 નો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
short by ગૌતમ રાઠોડ / 08:11 pm on 20 Nov
મોરબી જિલ્લાના મહિકા ગામમાં એક પરિવારના ત્રણ કૌટુંબિક ભાઈઓએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાંથી 20 વર્ષિય યશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અહેવાલો મુજબ, ત્રણેય ભાઈઓની જમીનની આસપાસ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યા હતા. જમીન લીઝ પર લેવા બાબતે માફિયાઓ ત્રણેય ભાઈઓને ત્રાસ, ધમકીઓ અને દબાણ કરતા હોવાથી તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
short by ગૌતમ રાઠોડ / 08:56 pm on 20 Nov
રાજ્યના મહેસૂલ વિભાગે વહીવટી ફેરફારો સાથે 39 મામલતદારોની સામૂહિક બદલી કરી છે. મહેસૂલ વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યમાં ઝડપ લાવવા તથા લોકસેવાનો ગુણોત્તર વધારવા આ બદલી કરાઈ છે. લોકઅરજીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખી વ્યસ્ત તાલુકાઓમાં અનુભવી મામલતદારની નિમણૂંક કરાઈ છે. મહત્વનું છે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા તાલુકાઓમાંથી વધતી વહીવટી કામગીરી અંગે રાજ્ય સરકારને રજૂઆતો મળી રહી હતી.
short by અર્પિતા શાહ / 09:31 am on 21 Nov
ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. દાહોદ 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદનું તાપમાન ઘટીને 15.1 ડિગ્રી જ્યારે માઉન્ટ આબુમાં તાપમાન –2 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં 10.8 ડિગ્રી, રાજકોટમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી અને સુરતમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડી હજુ વધે તેવી આગાહી છે.
short by અર્પિતા શાહ / 08:19 am on 21 Nov
તળાજા રોડ કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં ACF અધિકારીએ તેના પત્ની અને બે સંતાનોની હત્યા કરાયાની ઘટના બની હતી. બે બનાવમાં ઘરકંકાસમાં હત્યાં કરી હોવાનું પ્રાથમિક જણાવવામાં આવ્યું હતું. જયારે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ હત્યાં પ્રેમ પ્રકારણમાં થઇ હોવાનું ખુલવા પામ્યું છે. જે મામલે DYSP એ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.
short by News Gujarati / 08:00 pm on 20 Nov
નાની વહિયાળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભાનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકામાંથી ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા, જોકે, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પૂર્વ આસિસ્ટન્ટ ગુલાબભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી.
short by News Gujarati / 08:00 pm on 20 Nov
ભરુચ ના સાંસદ મનસુખ વસાવા એક વાત કરતા જણાવ્યું કે આખા દેશ માં અને ગુજરાતમાં બધાજ લોકો દારૂ પીવી છે એકલા ફક્ત આદિવાસીઓ નથી પિતા!
short by News Gujarati / 10:00 pm on 20 Nov
આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, રમેશભાઇ ઓરમાં, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા, હરિચન્દ્રસિંહ જાડેજા, સંદીપ પટેલ સહિતના આગેવાનો એ કચ્છ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ કચ્છમાં વીજ વહન કરતી કમ્પનીઓ કે વીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા તમામ કાયદાઓને નેવે મૂકીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય એટલું જ નહીં પણ તંત્ર જાણે
short by News Gujarati / 10:00 pm on 20 Nov
ડાંગ જીલ્લા ના સ્વ. તારાબેન પવાર જેઓ જમીનની બચાવવા ની લડત લડતા તેઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સ્વ. તારાબેન પવાર ને 34 માં શહીદ દિવસ નિમિત્તે લાલ સલામ સાથે આદિવાસીઓ ના આગેવાન મહેશભાઈ વસાવાએ શ્રધાંજલિ પાઠવી.
short by News Gujarati / 08:00 am on 21 Nov
સાયલા તાલુકામાં ખનીજ તંત્રને સુદામડા સીમ જમીનમાં ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. અને ખનીજ વિભાગના જગદીશ વાઢેર સહિત કર્મીઓની ટીમ 19-11એ સુદામડાની જમીનમાં પહોંચી હતી. જ્યાં સ્થળ ઉપર રહેલ 9 ડમ્પર, 2 હિટાચી મશીન તેમજ 1 બોલેરો કાર સહિતનો અંદાજે રૂપિયા 4 —કરોડથી વધુનો મુદ્દામાલ ખનીજ તંત્રને હાથ -લાગ્યો હતો.તંત્ર દ્વારા ખાણ ચલાવતા શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ખોદકામ થયેલી —ખનીજ ચોરી બાબતે સર્વેનું કામકાજ શરૂ કરી છે
short by News Gujarati / 10:00 pm on 20 Nov
મહુવાના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મહુવામાં રહેતા સન્ની પરમાર પર ચોરીનો ખોટો આરોપ નાખવામાં આવતા સન્નીભાઈ અને તેમના પરિવાર ના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા તમામ લોકોને સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બાજુમાં રહેતા કાલુભાઈ ને ત્યાં ચોરી થઈ હોય જે અંગેનો આક્ષેપ નાખવામાં
short by News Gujarati / 02:00 am on 21 Nov
ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે તેઓ નવસારી આવ્યા હતા. આ બાદ તેઓ વલસાડ ખાતે પ્રવાસે હતા. મહત્વનું છે કે આ પ્રવાસ દરમિયાન તેમણે સાંસદ જે ધવલ પટેલ છે તેમના ઉપર વિવિધ ટિપ્પણીઓ કરી હતી જોકે તેમનો પ્રત્યુતર ધવલ પટેલે આપ્યો હતો.
short by News Gujarati / 08:00 am on 21 Nov
કોંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન કાર્યકરોને સંબોધન કરતા વાલિયાના સહકારી આગેવાન અને કોંગી નેતા સંદીપ માંગરોલાએ જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
short by News Gujarati / 08:00 am on 21 Nov
મોરબીના રેલવે સ્ટેશન રોડ પર મહાનગરપાલિકાના દ્વારા રેનબસેરા ખાતેથી જન્મ મરણના દાખલા કાઢી આપવામાં આવે છે ત્યારે અગાઉ પણ અહિ બેસતા કર્મચારીઓ દ્વારા અરજદારો સાથે ગેરવર્તણૂકની ફરીયાદો ઉઠી હતી ત્યારે ફરી એક વખત ગયકાલે રેન બસેરામા જન્મ મરણ વિભાગમાં ગાળો આપી માર મારતાં હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
short by News Gujarati / 08:00 am on 21 Nov
રાજપીપલા શહેરના નવા ફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં નવેમ્બર માસનો અનાજ વિતરણ દરમિયાન ભાડે હોબાળો મચ્યો છે સરકારી યોજના હેઠળ આપવામાં આવેલા ઘઉં સડેલા ખરાબ થઈ ગયેલા જીવાત પડી ગયેલ અને જાડા બાજી ગયેલા હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યો ગ્રાહક ના મતે આ ગુણવત્તા એટલી ખરાબ હતી કે પશુ પણ તેનો ઉપયોગ ન કરી શકે જ્યારે ગ્રાહકે કહ્યું ત્યારે દુકાનદારે તેની સાથે ખરાબ વર્તન કર્યુ.
short by News Gujarati / 08:00 am on 21 Nov
ગુરૂવારના 2 કલાકે પારડી પોલીસે આપેલી વિગત મુજબ ગઈકાલે બુધવારના રોજ ચીવલ ગામે 27 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું.ઘટનાની જાણ પારડી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાસનો કબજો લઈ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ પારડી પોલીસે વધુ વિગતમાં જણાવ્યું, કે વિદેશી પતિના આવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
short by News Gujarati / 12:00 am on 21 Nov
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. સુભાષનગર આવાસ યોજનાના મકાન નજીક બનેલી મારામારીની ઘટનાના CCTV સામે આવ્યા હતા. CCTV વિડિઓમાં કોઈ મામલે માથાકૂટ સર્જાઈ હોવાના વિડિઓ વાયરલ થયા હતા.
short by News Gujarati / 08:00 am on 21 Nov
Load More
For the best experience use inshorts app on your smartphone