ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 39 મામલતદારોની એક સાથે બદલી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, કેટલાંક જિલ્લામાં ચાલી રહેલા જમીન કેસ, જાહેર હિતના વિકાસ પ્રોજેક્ટ્સ અને લોકઅરજીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વ્યસ્ત તાલુકાઓમાં અનુભવી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા તાલુકાઓમાંથી વધતી વહીવટી કામગીરી અંગે રાજ્ય સરકારને રજૂઆત મળી રહી હતી.
short by
ગૌતમ રાઠોડ /
10:23 pm on
20 Nov