For the best experience use Mini app app on your smartphone
ખંભાત તાલુકાના કાણીસા ગામે સોમપુરાના ટોચ વિસ્તારમાં ખેતરમાં ચાર કાપતા એક વૃદ્ધાનું રખડતા પશુના હુમલાથી મોત થયું છે.55 વર્ષીય દિનેશભાઈ ચંદુભાઈ રાજપૂત કાણીસા ગામની સીમમાં વિસ્તારમાં ખેતરમાં ચાર કાપતા હતા ત્યારે ગામના રખડતા પાડાએ હુમલા કરી ઈજાઓ પહોંચાડી હતી.જેને કારણે તેમનું મોત થયું હતું.ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબ્જે લઈ પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પી.એમ બાદ મૃતદેહને સોંપવામાં આવ્યો હતો.
short by News Gujarati / 10:00 am on 05 Dec
For the best experience use inshorts app on your smartphone