ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, “ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરષોત્તમ રૂપાલા સામે છે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે.” તેમણે વધુમાં કહ્યું કે, ક્ષત્રિયોએ રોષ સીમિત રાખવાની જે વાત કરી છે તે માટે હું તેમનો આભારી છું. ગુરૂવારે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે પાટીલે બેઠક કર્યા બાદ આ નિવેદનો સામે આવ્યા.
short by
Dipak Vyas /
06:27 pm on
25 Apr