For the best experience use Mini app app on your smartphone
ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલમાં નવરાત્રી દરમિયાન થયેલી અથડામણ બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું કે, કુલ 186 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જેમાંથી 50 જેટલા બાંધકામ તાજેતરના રાયોટિંગના આરોપીઓ સાથે સંકળાયેલા છે. વધુમાં ઉમેર્યું કે, આજે વહીવટીતંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
short by અર્પિતા શાહ / 12:30 pm on 09 Oct
For the best experience use inshorts app on your smartphone