ગુજરાત સરકારે પાણીની અછત ધરાવતા 10 જિલ્લાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન યોજના અમલી બનાવી છે. યોજના અંતર્ગત ખેત તલાવડીમાં 500 માઈક્રોનના પ્લાસ્ટિક લેયર ફીટ કરી આપવામાં આવશે. 10 જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે. 10 જિલ્લાના 60 તાલુકાઓની કુલ 2419 ખેડૂતોની અરજીઓની પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે.
short by
ગૌતમ રાઠોડ /
09:20 pm on
28 May