ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. PMJAY યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા તમામ કર્મીઓને કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સે તેમના કુટુંબને લાભ અપાવવા માટે આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
short by
ગૌતમ રાઠોડ /
10:05 am on
30 May