બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખેડૂતોને મોટી રાહત મળી છે. લિંબાળી સિંચાઈ યોજના હેઠળ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પગલાથી આસપાસના 20 ગામોના ખેડૂતોને ફાયદો થશે.ગઢડાના ખેડૂતોએ સિંચાઈ મંત્રી કુવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતના પગલે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીથી બાજરી, જુવાર અને તલ જેવા ઉનાળુ પાકને જીવનદાન મળ્યું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
short by
News Gujarati /
06:00 pm on
26 Mar