વાવાઝોડાની અસરના કારણે દાહોદના આઠ ગામોમાં 15થી વધુ ઘરોમાં આગ લાગવાની ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને પગલે મકાનોમાં આકસ્મિક આગ લાગી હોવાનું તારણ છે. ઘટનાને પગલે દાહોદ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી છે. દરમિયાન મકાનો બળીને ખાખ થઈ ગયા છે. જોકે, ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થયું નથી.
short by
દિપક વ્યાસ /
03:54 pm on
06 May