For the best experience use Mini app app on your smartphone
વાવાઝોડાની અસરના કારણે દાહોદના આઠ ગામોમાં 15થી વધુ ઘરોમાં આગ લાગવાની ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને પગલે મકાનોમાં આકસ્મિક આગ લાગી હોવાનું તારણ છે. ઘટનાને પગલે દાહોદ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી છે. દરમિયાન મકાનો બળીને ખાખ થઈ ગયા છે. જોકે, ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થયું નથી.
short by દિપક વ્યાસ / 03:54 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone