પોરબંદરના વસુંધરા કોમ્પલેક્ષમાં આવેલા કદમ બિલ્ડિંગમાં રહેતા અનિલભાઈ ભગવાનજીભાઈ ઠકરાર નામના આધેડ તેના ફઈની દીકરીની અંતિમવિધિ માટે સ્મશાન બહાર પોતાનું બાઈક પાર્ક કરી ગયા હતા અને અંતિમવિધિ પૂર્ણ કરી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તેમનું બાઈક ચોરાઈ ગયું હતું. ત્યારે આ બાઈકની ચોરી જમાતખાના પાસે રહેતા અશોકસિંહ રણુભા ચુડાસમા નામના શખ્સે કરી હોવાનું સામે આવતા પોલીસે તેમને ઝડપી લઇ ચોરીનું બાઇક પણ કબ્જે કર્યું હતું.
short by
News Gujarati /
12:00 am on
16 Apr