પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ મેજર આદિલ રાજાએ જણાવ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હતો. ઉપરાંત પાકિસ્તાની સેનાના 4-5 ઉચ્ચ અધિકારીઓ પણ આ કાવતરામાં સામેલ હતા. વધુમાં કહ્યું કે, પાકિસ્તાની આર્મી આતંકવાદીઓને ટેકો આપે છે અને પાકિસ્તાનમાં બેઠેલા તેના હેન્ડલર્સ દ્વારા ભારતના કાશ્મીરમાં લોહિયાળ રમત રમે છે.
short by
દિપક વ્યાસ /
05:58 pm on
28 May