મોરબીમાં છેલ્લા બે વર્ષથી કાનૂની વિવાદમાં રહેલી ગેરકાયદેસર દરગાહને આજે તોડી પાડવામાં આવી છે. આ દરગાહ શહેરના ઐતિહાસિક અને પ્રખ્યાત મણિ મંદિર પાસે આવેલી હતી જેમાં લાંબા સમયથી હિન્દુ સંગઠનો દ્વારા આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી બાદ તંત્ર દ્વારા દરગાહની કાયદેસરતા (વૈધતા) અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરી તોડી પાડવામાં આવી છે.
short by
News Gujarati /
10:00 pm on
02 Dec