સોમવારે આવેલા વાવાઝોડાથી રાજ્યમાં 14 લોકોના મોત નીપજ્યા છે. અહેવાલ મુજબ, 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, 1 વ્યકિતનું મોત દિવાલ પડવાથી, 1નું મકાન તૂટી પડવાથી, 1નું છત તૂટી પડવાથી, 2નું કરંટ લાગવાથી અને 1નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે. કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે.
short by
અર્પિતા શાહ /
01:16 pm on
06 May