ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. જીઇબી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે. એટલું જ નહીં, અગાઉ પણ ચારથી પાંચ વખત જીઇબીના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
short by
News Gujarati /
04:00 pm on
31 Jul