નવસારી જિલ્લામાં તાજેતરના વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને રાજ્ય સરકારે અઠવાડિયામાં જ રાહતરૂપે 30.86 લાખ રૂપિયાની સહાય પહોંચાડી છે. સાંસદ ધવલ પટેલના સતત પ્રયાસો અને સ્થાનિક તંત્રની સતર્ક કામગીરીથી આ સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી. વાંસદાના સીણધઈ ગામ સહિત અનેક વિસ્તારોમાં થયેલા નુકસાનનો ત્વરિત સર્વે કરીને પીડિતોને સહાય મળતા લોકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો.
short by
News Gujarati /
12:00 pm on
09 Oct