વડોદરામાં 'દિલ્હીના ફેમસ છોલે-કુલ્ચે' નામની લારીમાંથી ખરીદેલા છોલે-કુલ્ચેમાંથી મરેલો ઉંદર મળી આવ્યો, ગ્રાહક ઉંદર લઇ બાપોદ પોલીસ સ્ટેશને જાણ કરી છે. ગ્રાહકે જણાવ્યું, છોલે-કુલ્ચેનું પાર્સલ ખોલીને ત્રણ કોળિયા ખાધા બાદ છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે, સવારથી સાંજ સુધીમાં 300 લોકોએ આ લારીવાળાને ત્યાંથી છોલે-કુલ્ચા ખાધા છે. ગ્રાહકે લારીઓનું કાયમી ચેકીંગ કરવા અને ક્વોલીટી ટેસ્ટીંગ કરવાની માંગ કરી છે.
short by
કલ્પેશ કુમાર /
07:02 pm on
25 May