વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની કેન્ટીનમાં ફૂડની ગુણવત્તાનું ચેકિંગ કરવા વિદ્યાર્થી સંગઠને માગ કરી છે. એનએસયુઆઇ ઉપ-પ્રમુખ સુઝાન લાડમેડે કહ્યું કે, "છાત્રોને ગુણવત્તાયુક્ત નાસ્તો અપાતો નથી. કેન્ટીનોમાં સાફ- સફાઇ પણ યોગ્ય રીતે કરાતી નથી." વધુમાં કહ્યું કે, યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆતો કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાઈ નથી. જો કાર્યવાહી નહીં કરાય તો કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવશે.
short by
Arpita shah /
08:12 am on
25 Apr