વડોદરાના ન્યાય મંદિર સાધના ટોકીઝ પાસે બુધવારે રાતે બે કોમના યુવકો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની છે. બનાવ અંગે જાણ થતા જ વાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિજય નિરંજન ઠાકોર, જય, હાજી ઉસ્માન ઇલાયચી વાલા અને શકીલ અબુબકર સોદાગર વચ્ચે પૈસાની લેતીદેતી મામલે આ બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચારેય શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
short by
Arpita shah /
01:28 pm on
25 Apr