જૂનાગઢના વાડલા ફાટક નજીક થયેલી એસ.ટી બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર મળ્યું છે. મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલે પીડિત રમેશભાઈ ચાવડા ઉ.વ 45 ના વારસદારોને ₹ 11.84 લાખ વળતર ચૂકવવાનું આદેશ આપ્યો છે. ગત વર્ષે ભારે વરસાદમાં વાડલા ફાટક પાસે EMS એમ્બ્યુલન્સ ફસાઈ હતી. રમેશભાઈ દર્દી સેવક તરીકે એમ્બ્યુલન્સ ને મદદ કરી રહ્યા હતા તે સમયે એસટી બસના ચાલકની બેદરકારીથી અકસ્માત થયો અને રમેશભાઈ નું મૃત્યુ થયું હતું.
short by
News Gujarati /
08:00 am on
22 Jun