વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલ નુકસાનને લઇ કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યું, "રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર નહીં કરે તો કોંગ્રેસ ગામડે ગામડે આંદોલન કરશે." તેમણે વધુમાં કહ્યું, ખેડૂતો માટે ₹10 હજાર કરોડની સહાય સરકારે જાહેર કરવી જોઈએ. 28 તારીખથી સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધારે ખેડૂતોને ભેગા કરીને આંદોલન કરવામાં આવશે.
short by
ગૌતમ રાઠોડ /
09:35 pm on
22 Oct